Bhavnagar: ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો, સીઆર પાટીલે કહ્યું કે ગુજરાતમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ નથી

|

Mar 08, 2021 | 9:47 AM

Bhavnagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો. ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું.

Bhavnagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’ ઉજવાયો. ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી ઘોઘા પોલીસ ગ્રાઉન્ડ સુધી વિજય આભાર રેલી યોજાઈ. ચૂંટણી પહેલા સી.આર. પાટીલ પાલીતાણા આવ્યા ત્યારે ઘોઘા તાલુકા પંચાયત જીતશે તો ફરી તેઓ ઘોઘા આવશે તેવું વચન આપ્યું હતું. જેથી તેઓ ભાવનગર જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માનવા રેલીનું આયોજન કર્યું હતું. 44 નગર સેવક માટે આઈસર ટેમ્પો સહિતની વ્યવસ્થા સાથે 200થી વધુ કારનો કાફલો રેલીમાં જોડાયો હતો. ધારાસભ્ય અને સાંસદો, શહેર ભાજપ સંગઠન અને જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતાં અને ઘોઘામાં યોજાયેલી જાહેર સભામાં સી. આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં સી.આર. પાટીલે સભા સંબોધી તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો આભાર માન્યો. સીઆર પાટીલે કહ્યું કે- ગુજરાતમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ નથી. સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા.

 

Next Video