Bhavnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ સમયનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર-5 ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ પણ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. છેલ્લા 7 ટર્મથી સતત ચૂંટાતા અને કોંગ્રેસના સિનિયર નેતા એવા ભરત બુધેલીયાએ પોતાના વોર્ડમાં પ્રચાર કર્યો હતો. ભરત બુધેલીયા તેમના સાથી ઉમેદવારો સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, તેમણે આ વિસ્તારમાં પ્રજા માટે સારા કામ કર્યા છે તેથી તેમને કોઇ હરાવી શકશે નહીં.
Published On - 12:34 pm, Fri, 19 February 21