Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી, મોદી અને શાહ પર કર્યા પ્રહારો

|

Feb 07, 2021 | 6:06 PM

Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી.

Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી. BTP સાથે ગઠબંધન બાદ ભરૂચમાં પહેલી વિરાટ સભામાં ઓવૈસીએ ભાજપ-કોંગ્રેસ પર એકસમાન આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહને નિશાને લેતા ઓવૈસીએ કહ્યું કે ગુજરાતની ઓળખ મોદી-શાહથી ક્યારેય નહીં થાય. વિશ્વમાં ગુજરાતની ઓળખ માત્ર મહાત્મા ગાંધીથી જ છે. ગુજરાત મહાત્મા ગાંધીના નામે જ દેશ-દુનિયામાં ઓળખાશે.

 

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ-કોંગ્રેસને મામા-ભત્રીજાની પાર્ટી ગણાવી. ઓવૈસીએ સૌથી આકરા પ્રહાર કોંગ્રેસ પર કર્યા. ગુજરાતમાં AIMIM ભાજપને ફાયદો કે કોંગ્રેસને નુકસાન કરવા નહીં. પરંતુ ગુજરાતમાં ગરીબ, વંચિત, આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવા આવી હોવાનું જણાવ્યું. ઓવૈસીએ પૂછ્યું કે કોંગ્રેસના જીતેલા 12 ધારાસભ્ય ભાજપમાં ભળી ગયા, શું અમને પૂછીને ગયા હતા ?

Next Video