મસૂદના ભાઈએ જ ખોલી નાખી પાકિસ્તાનની વધુ એક પોલ, ભારતની AIR STRIKEથી જૈશ એ મોહમ્મદને ભારે તબાહી થયાની કબૂલાત, પણ દિગ્વિજયે માંગ્યા પુરાવા !

|

Mar 03, 2019 | 4:30 AM

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇકથી જૈશને ભારે નુકસાન થયું છે, પરંતુ દિગ્વિજય સિંહ સબૂત માંગી રહ્યા છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા […]

મસૂદના ભાઈએ જ ખોલી નાખી પાકિસ્તાનની વધુ એક પોલ, ભારતની AIR STRIKEથી જૈશ એ મોહમ્મદને ભારે તબાહી થયાની કબૂલાત, પણ દિગ્વિજયે માંગ્યા પુરાવા !

Follow us on

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇકથી જૈશને ભારે નુકસાન થયું છે, પરંતુ દિગ્વિજય સિંહ સબૂત માંગી રહ્યા છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારતીય વાયુસેનાએ ગત 26 ફેબ્રુઆરીની વહેલી સવારે પીઓકેમાં ઘુસીને જૈશ એ મોહમ્મદ પર 1000 કિલો બૉંબ વરસાવ્યા હતાં, પરંતુ પાકિસ્તાન હજી સુધી ભારતે ઍર સ્ટ્રાઇક કરી વાતને નકારી રહ્યું છે, તો બીજી બાજુ પાકિસ્તાનના દાવાની પોલ જૈશના ચીફ મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્મારે જ ખોલી દીધી છે.

મૌલાના અમ્મારે એક ઑડિયો ક્લિપમાં આ વાત માની છે કે ભારતના લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા ખૈબરપખ્તૂનવા પ્રાંતના બાલાકોટમાં ભારે તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઑડિયો ક્લિપમાં મૌલાના અમ્માર ‘મર્કાઝ’ (ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર) પર બૉંબ વરસાવ્યાની વાત કરી રહ્યો છે. આ ઉપરાંત તે ભારતીય લડાકૂ વિમાનો દ્વારા તે ઠેકાણાઓને તબાહ કરવાથી અત્યંત નારાજ છે કે જેમાં જેહાદના પાઠ ભણાવવામાં આવે છે.

ઑડિયોમાં મૌલાના અમ્માર કહે છે, ‘આજે જ્યારે દુશ્મને પહાડોને ઓળંગી અમારી જમીનમાં ઘુસી ઇસ્લામિક સેંટર પર હુમલો કર્યો, દુશ્મને પોતે જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. દુશ્મને જંગનો આગાઝ કરી દીધો છે.’

માનવામાં આવે છે કે અમ્મારે ભારતની ઍર સ્ટ્રાઇકના બરાબર એક દિવસ બાદ પાકિસ્તાનના પેશાવર ખાતે યોજાયેલી એક જાહેરસભામાં આ વાત કહી હતી કે જેની ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.

આ તો વાત થઈ અમ્મારની, પરંતુ ભારતના રાજકારણીઓમાં મોદી સરકાર અને વાયુસેનાએ કરેલી ઍર સ્ટ્રાઇકને લઈને વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો ચાલુ છે.

અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ બાદ હવે કૉંગ્રેસના બહુ બોલકણા નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પાસે પીઓકેમાં કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા છે.

દિગ્વિજય સિંહે કહ્યું, ‘જે રીતે અમેરિકાએ ઓસામા બિન લાદેન વિરુદ્ધ કાર્યવાહીના પુરાવા જાહેર કર્યા હતા, તેવી જ રીતે આપણે પણ પુરાવા જાહેર કરવા જોઇએ.’ જોકે દિગ્વિજયે સ્પષ્ટતા કરી, ‘હું સેનાની કાર્યવાહી પર કોઈ સવાલ નથી ઊઠાવી રહ્યો. આ ટેક્નિકનો યુગ છે, આજે આપણએ વાત કરી રહ્યા છીએ, આ કોઈનાથી છુપાયેલું નથી. ખુલ્લામાં તો સેટેલાઇટના માધ્યમથી તમામ તસવીરો સામે આવી જાય છે. જે પ્રકારના પુરાવા અમેરિકાની સરકારે લાદેન વિશે આખા વિશ્વને આપ્યા હતાં, તેવી જ રીતે આપણે પણ પ્રમાણ આપવા જોઇએ.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article