
ભાજપના નેતાઓને જાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો લાગું પડતા જ નથી. ખુલ્લેઆમ નેતાઓ સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મૂકી રહ્યા છે, ત્યારે ફરી એક વખત ભાજપના નેતાઓએ અમરેલીમાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરેલીના ચલાલામાં શંભુ પ્રસાદ ટુંડિયાના હસ્તે ભાજપ કાર્યલયનો ઉદ્દધાટન કાર્યક્રમ હતો ,આ કાર્યક્રમ દરમિયાન સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી ધનસુખ ભંડેરી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત હતા પરંતુ ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન નેતાઓની હાજરીમાં મોટા ભાગના નેતાઓ તેમજ કાર્યકરો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 3:34 pm, Wed, 21 October 20