AMC Election 2021: અમદાવાદમાં ચૂંટણી ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગોમતીપુરની સભામાં હિંમતસિંહે સ્ટેજ પરથી ઉતરી જવાનું કહ્યું હતું જે અમિત નાયક માટે ઘણું કપરૂ હતું. સ્ટેજ પરથી ઉતરી જવા માટેનું દબાણ કરવું ખૂબ જ અપમાનજનક હોવાનું અમિત નાયકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે હિંમતસિંહ પટેલ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.
Published On - 4:00 pm, Sat, 13 February 21