PM મોદીના વખાણ કરી કોઈને બચાવવા માંગે છે મુલાયમ સિંહ યાદવ ? તેમના સૌથી જૂના અને મોટા રાઝદારે કર્યો આના વિશે ચોંકાવનારો ખુલાસો

|

Feb 14, 2019 | 4:56 AM

સમાજવાદી પાર્ટી (SP)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે જ્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, તો તમામ વિપક્ષી નેતાઓ ચોંકી ઉઠ્યાં. એક તરફ જ્યારે આખો વિપક્ષ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મહાગઠબંધન રચી મોરચો ખોલી રહ્યો છે, ત્યારે મુલાયમ સિંહે પીએમ મોદી વિશે આવું આશ્ચર્યજનક નિવેદન કેમ કર્યું ? Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું […]

PM મોદીના વખાણ કરી કોઈને બચાવવા માંગે છે મુલાયમ સિંહ યાદવ ? તેમના સૌથી જૂના અને મોટા રાઝદારે કર્યો આના વિશે ચોંકાવનારો ખુલાસો

Follow us on

સમાજવાદી પાર્ટી (SP)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે જ્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, તો તમામ વિપક્ષી નેતાઓ ચોંકી ઉઠ્યાં.

એક તરફ જ્યારે આખો વિપક્ષ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મહાગઠબંધન રચી મોરચો ખોલી રહ્યો છે, ત્યારે મુલાયમ સિંહે પીએમ મોદી વિશે આવું આશ્ચર્યજનક નિવેદન કેમ કર્યું ?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ સવાલનો જવાબ આપ્યો છે મુલાયમ સિંહ યાદવના જૂના સાથી, એક વખતે સૌથી નિકટસ્થ રહેલા અને હાલમાં રાજ્યસભાના સાંસદ અમર સિંહે. અમર સિંહે ખુલાસો કર્યો છે કે મોદીના વખાણ કરવા પાછળ મુલાયમની શું મંશા છે.

એક સમાચાર એજંસી સાથે વાત કરતા અમર સિંહે મુલાયમ સિંહ યાદવની ટિપ્પણી પર કહ્યું, ‘આ નિવેદન ભ્રમ પેદા કરવા માટે છે. નોએડાને લૂંટનારા ચંદ્રકલા અને રામ રમન, મુલાયમ અને માયાવતીનો સાથ હાસલ થવાથી બચી રહ્યા. મુલાયમ હવે ઇચ્છે છે કે મોદીજી આ મામલામાં શાંત રહે. આ આખી નિવેદનબાજી પોતાના ભ્રષ્ટાચાર પર પડદો નાખવા માટે કરવામાં આવી રહી છે.’

આ તરફ મુલાયમના વધુ એક જૂના નિકટસ્થ અને એસપીના ચર્ચિત નેતા આઝમ ખાનનું પણ આવું જ કહેવું છે. આઝમ ખાને મુલાયમના નિવેદન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ નિવેદન તેમના મોઢામાં નાખવામાં આવ્યું છે. આ નેતાજીનું નિવેદન નથી. આ નિવેદન તેમનાથી અપાવવામાં આવ્યું છે. તેની પાછળ શું ઇરાદો છે, આ બતાવવાની જરૂર નથી.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ ગેરકાયદે માઇનિંગના સિલસિલામાં મની લૉન્ડરિંગનો મામલો નોંધાયો બાદ ED અખિલેશ યાદવ અને આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા સહિત અન્યો પર સકંજો કસતું જઈ રહ્યું છે. અખિલેશ યાદવ સરકારમાં ચંદ્રકલાના સિતારા બુલંદી પર હતાં. હમીરપુર, મથુરા, બુલંદશહર, મેરઠ સહિત પાંચ પ્રમુખ જિલ્લાઓમાં ચંદ્રકલા જિલ્લાધિકારી (DM) રહ્યા હતાં.

[yop_poll id=1398]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article