AHMEDABAD : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું જનચેતના આંદોલન, રેલીમાં કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

|

Jul 20, 2021 | 2:01 PM

રાજ્યના તાલુકા, જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કાર્યક્રમો બાદ આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ રેલી પાલડી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી રૂપાલી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સ્ટેચ્યુ સુધી યોજાયી.

AHMEDABAD : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Congress) દ્વારા આજે 20 જુલાઈના રોજ મોંઘવારીના વિરોધમાં જનચેતના આંદોલન – રેલીનું આયોજન કરવામ આવ્યું હતું. આ રેલીમાં પેટ્રોલ-ડીઝલ અને વધતી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો. રાજ્યના તાલુકા, જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કાર્યક્રમો બાદ આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ રેલી પાલડી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી રૂપાલી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સ્ટેચ્યુ સુધી યોજાયી. રેલીમાં કોવીડ ગાઈડલાઈન અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું અને લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.

Published On - 2:00 pm, Tue, 20 July 21

Next Video