AHMEDABAD : ભાજપમાં આંતરિક અસંતોષ ડામવા ગૃહપ્રધાન પ્રદીપસિંહ મેદાનમાં

|

Feb 05, 2021 | 5:04 PM

AHMEDABAD : આ વખતે ભાજપે નો રિપીટ થીયરીને અનુસરીને ઘણા સિટિંગ કોર્પોરેટરનીં ટિકિટ કાપી છે. આવા કોર્પોરેટર તેમજ તેમના સમર્થક ભાજપ કાર્યકરોમાં ભારે અસંતોષ સામે આવ્યો છે.

AHMEDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપે નો રિપીટ થીયરીને અનુસરીને ઘણા સિટિંગ કોર્પોરેટરનીં ટિકિટ કાપી છે. આવા કોર્પોરેટર તેમજ તેમના સમર્થક ભાજપ કાર્યકરોમાં ભારે અસંતોષ સામે આવ્યો છે. અસંતોષના કારણે અમદાવાદ ભાજપમાં ઘણા રાજીનામાં પાડવાની ભીતિને પગલે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. પ્રદિપસિંહ જાડેજા ખાનપુર ભાજપ કાર્યાલય પહોચ્યા હતા જ્યાં આઇકે જાડેજા સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી અને નારાજ કાર્યકરોની વાત પણ સાંભળી હતી. નવા ઉમેદવારોને ટિકિટ અપાતા ભાજપમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. હાલ ભાજપ આંતરિક અસંસતોષ ડામવાના પ્રયાસોમાં લાગી ગયું છે.

Next Video