Ahmedabad: જિલ્લા ભાજપની સંકલન બેઠક મળી. સંકલન બેઠકમાં પાંચ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. ભાજપ નેતા શંકર ચૌધરીએ TV9 સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી. જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 100 ટકા પરિણામ મળવાનો જિલ્લા પ્રભારીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી તેવું શંકર ચૌધરીએ જણાવ્યું છે. ગઈ વખતે આંદોલનના કારણે અમને જિલ્લામાં હાર મળી હોવાનું શંકર ચૌધરીએ જણાવ્યું છે. અને, આ વખતે વાતાવરણ અમારા તરફી છે તેમ પણ શંકર ચૌધરીએ ઉમેર્યું છે.