Ahmedabad Corporation Election 2021 જંગમાં પ્રધાનો અને નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વસ્ત્રાલની માધવ સ્કૂલમાં મત આપ્યો. તેમણે જણાવ્યું કે 2015 કરતા પણ વધારે સારી રીતે ભાજપ જીતીને બહાર આવશે અને શહેરનો વિકાસ લોકો જોઈ શકશે.
ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.