દિલ્હીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. દરેક પાર્ટી પોતાની સરકાર બનશે તેવો દાવો કરી રહી છે. આ બધાની વચ્ચે વિવિધ ચેનલના એગ્ઝિટ પોલ પણ આવી ગયા છે. જો તમામ ચેનલના એગ્ઝિટ પોલના તારણ પર આવીએ દિલ્હીમાં કેજરીવાલની સરકાર ત્રીજી વખત બની રહી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ અને અભિનેતા મનોજ તિવારી આ એગ્ઝિટ પોલથી સહમત નથી અને તેઓએ એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કર્યું છે એટલું જ નહીં પણ ટ્વીટને સાચવી રાખવા માટે પણ સલાહ આપી છે.
https://twitter.com/ManojTiwariMP/status/1226144841761001472?s=20
આ પણ વાંચો : શું અમદાવાદમાં પણ છે ‘પાકિસ્તાન’ ? જુઓ VIDEO
મનોજ તિવારીએ તમામ એગ્ઝિટ પોલના આંકડાઓને ખોટા ઠેરવ્યા છે અને લખ્યું કે તમામ એગ્ઝિટ પોલ ફેઈલ થશે. મારું આ ટ્વીટ સંભાળીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 સીટ લઈને સરકાર બનાવશે. મહેરબાની કરીને ઈવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી કોઈ ના શોધશો. આમ મનોજ તિવારી જે દિલ્હી ભાજપના અધ્યક્ષ છે તેને આ ટ્વીટમાં ચેલેન્જ આપી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 70 વિધાનસભાની સીટ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીનો જાદૂ દેખાઈ રહ્યો છે. દિલ્હીમાં કોની સરકાર બનશે તે તો 11 ફેબ્રુઆરીના રોજ જ જાણી શકાશે. આજે 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં પ્રદર્શન ચાલી રહ્યું હોવાથી ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવામાં ચૂંટણી પંચને સફળતા મળી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]