Gujarati News Photo gallery Women’s Day 2022: A living example of Yashoda! This women's organization is similar to the banyan tree for orphans and backward children for 40 years
Women’s Day 2022: યશોદાનું જીવંત ઉદાહરણ! 40 વર્ષથી અનાથ અને પછાત બાળકો માટે આ મહિલાની સંસ્થા વટવૃક્ષ સમાન
પુષ્પાબેને ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે 40 વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવી રહી છું, જેમાં આજે 150થી વધુ બાળકોની 'પાલક માતા' છું જેમાં મારા પતિના અવસાન બાદ મારા દીકરા પણ મારી સાથે જોડાયેલા છે. જે સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપી રહ્યા છે
1 / 8
કહેવાય છેક જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતા વાસ કરે છે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આવી મહિલા સાચા અર્થમાં માતા 'યશોદા' સાબિત થાય છે જેનુ જીવંત ઉદાહરણ પુષ્પાબેન પરમાર જેમણે પોતાનું જીવન અનાથ અને પછાત બાળકોના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે તેમને સમાજ અને ટીવી 9 વતી આજે મહિલા દિવસએ ખૂબ વંદન.
2 / 8
આજથી 40 વર્ષ પહેલાં પુષ્પાબેન એ તેમના પતિ સાથે મળી અનાથ અને પછાત બાળકો ને ભોજન, ભણતર અને રહેવાની સગવડ એક સાથે મળી રહે તેવા ઉમદા હેતુથી રાણીપ વિસ્તારમાં સંસ્થાની શરૂઆત એ રૂમ થી કરી હતી જે આજે વટવૃક્ષ સમાન બની ગઈ છે.
3 / 8
પુષ્પાબેન ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે 40 વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવી રહી છું જેમાં આજે 150 થી વધુ બાળકોની 'પાલક માતા' છું જેમાં મારા પતિ ના અવસાન બાદ મારા દીકરા પણ મારી સાથે જોડાયેલા છે. જે સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપી રહ્યા છે.
4 / 8
વધુમાં વાત કરતા પુષ્પાબેન કહે છે કે નારી તારા અનેક રૂપ છે જેવાકે દીકરી, પત્ની અને માતા આજે ગર્વ સાથે કહી શકું છું કે જ્યારે 100 કરતા વધુ બાળકો માતા કરી સંબોધિત કરે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે.
5 / 8
મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને આગળ આવવાની જરૂર છે બાકી સાચા અર્થમાં નારી તું નારાયણની છે મહિલા ઈચ્છે તે કરી શકે છે તે પુષ્પાબેન એ આ સંસ્થા બનાવી તે આપણે જોઈ શકીએ છીએ
6 / 8
આ શૈક્ષણિક સંસ્થામા દીકરા અને દીકરીઓ સાથે રહે છે અને અભ્યાસ કરે છે પણ મોટી દીકરીઓ ની વિશેષ કાળજી લેતા પુષ્પાબેન તેમને માસિક ધર્મ દરમ્યાન પોતાના દૈનિક કાર્ય કરી શકે માટે સેનેટરી પેડનો ઉપયોગ અને તેના ઉપયોગ પછી તેને નિકાલ કરવા માટેની પણ સુવિધા આ મશીન લગાવી ને કરી છે.
7 / 8
સંસ્થામાં 1 થી 12 સુધી અભ્યાસ સરકારના સહયોગથી કરાવવામાં આવે છે બાળકો ને સારું શિક્ષણ મળે તે હેતુથી ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર પણ લગાવ્યા છે જેને લાભ બાળકો લઈ રહ્યા છે.
8 / 8
આપ પણ પુષ્પાબેનના સેવા યજ્ઞમાં જોડાઈ અનાથ અને પછાત બાળકોના કલ્યાણ માટે સહભાગી થઈ શકો છો તેમને મદદ કરી શકો છો આપ મદદ આર્થિક અને સામાજિક કોઈ પણ રીતે કરી શકો છો જે બાળકોના વિકાસમાં ઉપયોગી થઈ શકે છે.