
વાસ્તવમાં દક્ષિણ ભારતમાં દિવાળી ન ઉજવવા પાછળની પૌરાણિક માન્યતા રહેલી છે. કથા મુજબ એવું છે કે રાક્ષસ રાજા બલિએ સમગ્ર દક્ષિણ ભારતમાં શાસન કર્યું અને તેણે મહાબલીપુરમને અહીંની રાજધાની બનાવી હતી. રાક્ષસ પ્રજાતિના હોવા છતાં બલી રાજા ખૂબ જ સેવાભાવી હતા. લોકો તેમની પૂજા કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલીનો પરાજય થયો હતો અને તેથી જ કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

દક્ષિણ ભારતમાં ઓણમનો તહેવાર રાજા બલિની યાદમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલી પોતાના લોકોને મળવા માટે આવે છે. એટલા માટે લોકો તેમના ઘરને ફૂલોથી શણગારે છે. ફૂલોની રંગોળી બનાવે છે અને આ તહેવાર ઉજવે છે.