
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું પણ નામ છે, જેમણે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો.

નારાયણ દત્ત તિવારી તેમના સમયના દિગ્ગજ નેતા હતા. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. નારાયણ દત્ત તિવારી 1987-88માં નાણામંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તત્કાલિન વડાપ્રધાને નારાયણ દત્ત તિવારીની જગ્યાએ બજેટ રજૂ કર્યું હતું.