ભારતને તેની પ્રથમ એરલાઇન સેવા ક્યારે મળી ? જાણો કેવી રીતે નખાયો એર ઇન્ડિયાનો પાયો
ટાટાએ ભારતને ઘણી નવી વસ્તુઓ આપી છે. ભારતમાં હવાઈ મુસાફરીમાં ક્રાંતિ કરનાર વ્યક્તિ તરીકે જેઆરડી ટાટાનું મહત્વનું યોગદાન છે. તેમના કારણે જ ભારતને તેની પ્રથમ એરલાઇન સેવા શરૂ કરવામાં મદદ મળી હતી.
1 / 6
ટાટાએ ભારતને ઘણી નવી વસ્તુઓ આપી છે. આમાંની એક ભારતની પોતાની અને પ્રથમ એરલાઇન સેવા છે. ટાટા ગ્રુપે જ ભારતમાં પહેલીવાર એરલાઈન સેવા શરૂ કરી હતી જેનું નામ ટાટા એરલાઈન્સ હતું.
2 / 6
જેઆરડી ટાટા દ્વારા 15 ઓક્ટોબર, 1932ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. કરાચીથી મુંબઈ વચ્ચે પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. બાદમાં આ એરલાઇનનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું.
3 / 6
ટાટા એવિએશન સર્વિસની શરૂઆત વર્ષ 1932માં જેઆરડીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. એ સમયે એવિએશન સેક્ટરમાં યુરોપિયન કંપનીઓનું વર્ચસ્વ હતું.
4 / 6
ભારતમાં હવાઈ મુસાફરીમાં ક્રાંતિ કરનાર વ્યક્તિ તરીકે જેઆરડી ટાટાનું મહત્વનું યોગદાન છે. તેમના કારણે જ ભારતને તેની પ્રથમ એરલાઇન સેવા શરૂ કરવામાં મદદ મળી હતી.
5 / 6
જેઆરડી ટાટાએ બાળપણથી જ આકાશમાં ઉડવાનું સપનું જોયું હતું. તેથી જ તેઓ વર્ષ 1929માં કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
6 / 6
ભારતની આઝાદી પછી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બન્યા. ત્યાર બાદ નેહરુ સરકારે વર્ષ 1953માં એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.