
કોઈપણ કારણ વગરના કચરા કે નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવો. દરરોજ સાંજે ઘરમાં પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. દરરોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અથવા ચંદનનો ધૂપ કરો. ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ સ્વસ્તિક લગાવો. અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન, ભજન અથવા કોઈપણ ધાર્મિક પાઠ કરો.

જ્યારે પણ આવું થાય, ત્યારે તમારા કેટલાક વાળ કાપી નાખો. આ પછી કેવડાને પાણીમાં ઉમેરીને સ્નાન કરો. લાલ મરચાના થોડા દાણા ચાવો. નજર દોષથી હંમેશા સુરક્ષિત રહેવા માટે ચંદનની સુગંધનો ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે ગોળ ખાઓ.આ ઉપરાંત સ્ફ્ટીક(મીઠું,ફટકડી, કપુર) નજર દોષને દૂર કરી શકે છે. આ માટે તમે કપુરનો ધુપ કરી શકો, મીઠા કે ફટકડીના પાણીથી સ્નાન કરી શકો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.