કાળી ચૌદશે ગામ આખુ સ્મશાનમાં પહોંચે છે, દિવડા પ્રગટાવે છે અને કરે છે આરતી
સામાન્ય રીતે આમતો કાળી ચૌદશની સંધ્યા ઢળતા જ લોકો સ્મશાન કે ચાર રસ્તા તરફ જવા માટે ડરતા હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં લોકો સ્મશાનમાં બાળકો અને વૃદ્ધો સહિત મહિલો પહોંચે છે. અહીં કાળી ચૌદશે દિવડાઓથી શણગાર સુંદર સજાવીને કાળી ચૌદશની અનોખી ઉજવવામાં આવે છે. ગામના લોકો અહીં સમૂહમાં આરતી પણ કરતા હોય છે.
ગામના આગેવાનો કહે છે કે, અમને સહેજે ડર લાગતો નથી. અમે અહીં અંધશ્રદ્ધા દૂર કરવા માટે થઈને આ પરંપરા વર્ષો પહેલા શરુ કરી હતી. લોકોને કાળી ચૌદશે તાંત્રીક વિધી સહિત અનેક ડર ભૂત અને અન્ય પ્રકારના હોય છે.
5 / 5
જે અંધશ્રદ્ધાના ડરને દૂર કરવા માટે આ શરુઆત કરી હતી. આજે અમે અહીં નિયમીત પ્રતિવર્ષ કાળી ચૌદશે આરતી અને દિવડાના શણગારનો કાર્યક્રમ યોજીએ છીએ.