
આમ કોઈ પણ વ્યક્તિનો બુધ ગ્રહ બગડતા તે વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. તેની કોમ્યુનિકેશન સ્કિલ પણ બગડવા લાગે છે, અને તે લોકો સામે પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી. આ સિવાય બુધ ગ્રહ ખરાબ થવાના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થવા લાગે છે, જેમ કે ત્વચા પર ફોલ્લીઓ દેખાવી. સાથે જ તમે આ સમય કલાકો સુધી ટોઈલેટમાં બેસી રહો છો જેથી તમારા ફોન અને શ્વાસમાં બેક્ટેરિયા પણ પ્રવેશે છે જેથી સ્વાસ્થ ખરાબ થાય છે.

શૌચાલયમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી ગ્રહોની સ્થિતિ નબળી પડે છે અને અનેક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આમાં ચામડીના રોગોથી માંડીને પાચન સંબંધી સમસ્યાઓ છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓ વધે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ મોબાઈલ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આને સ્થાપિત કરવાથી વાસ્તુ દોષ દેખાય છે. તેનાથી બચવા માટે મોબાઈલના કવર પર ક્યારેય ભગવાનની તસવીર ન લગાવો. મોબાઈલ વોલપેપર પર ક્યારેય હિંસક પ્રાણીઓની તસવીરો ન મૂકો. તેનાથી મનમાં ડર પેદા થાય છે. આ વાસ્તુ દોષ જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે.
Published On - 11:28 am, Tue, 24 December 24