Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી બનાવી ગણેશજીની પ્રતિમા- જુઓ Photos

Vadodara: વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પૂળામાંથી શ્રીજીની પ્રતિમા બનાવી છે. વલ્લભનગર સોસાયટીના રહીશો દર વર્ષે ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. આ વર્ષે તેમણે 13 ફુટ ઉંચી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:39 PM
1 / 5
Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના રહીશોએ ગણેશજીની 13 ફુટ ઉંચી ઘાસના પુળામાંથી પ્રતિમા બનાવી છે. જેના માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના રહીશોએ ગણેશજીની 13 ફુટ ઉંચી ઘાસના પુળામાંથી પ્રતિમા બનાવી છે. જેના માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

2 / 5
વાસની લાકડી, કાથી, સુતળીનો ઉપયોગ પણ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગ કરાયો છે. પ્રતિમા બનાવવા માટે ઘાસના પુળા લોકોએ દાનમાં આપ્યા, 4500થી 5 હજારના ખર્ચમાં આ પ્રતિમા તૈયાર થઈ છે.

વાસની લાકડી, કાથી, સુતળીનો ઉપયોગ પણ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગ કરાયો છે. પ્રતિમા બનાવવા માટે ઘાસના પુળા લોકોએ દાનમાં આપ્યા, 4500થી 5 હજારના ખર્ચમાં આ પ્રતિમા તૈયાર થઈ છે.

3 / 5
આ પ્રતિમા કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ નહીં પરંતુ સોસાયટીના યુવકો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો છે.

આ પ્રતિમા કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ નહીં પરંતુ સોસાયટીના યુવકો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો છે.

4 / 5
દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેમા ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેમા ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

5 / 5
ઘાસના પુળામાંથી બનાવાયેલી આ શ્રીજીની આ પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલખી ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવના પાણીમાં પ્રતિમાને સ્પર્શ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.

ઘાસના પુળામાંથી બનાવાયેલી આ શ્રીજીની આ પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલખી ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવના પાણીમાં પ્રતિમાને સ્પર્શ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.

Published On - 8:40 pm, Wed, 13 September 23

Follow Us