Vadodara: વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પૂળામાંથી શ્રીજીની પ્રતિમા બનાવી છે. વલ્લભનગર સોસાયટીના રહીશો દર વર્ષે ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. આ વર્ષે તેમણે 13 ફુટ ઉંચી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.
દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેમા ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.
5 / 5
ઘાસના પુળામાંથી બનાવાયેલી આ શ્રીજીની આ પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલખી ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવના પાણીમાં પ્રતિમાને સ્પર્શ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.