
શરીરમાં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવા માટે, તમે વિવિધ રીતે પપૈયાનું સેવન કરી શકો છો. તમે કાચા પપૈયાનો રસ અને ઉકાળો પણ બનાવીને પી શકો છો. કાચા પપૈયાનો ઉકાળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઉકાળો બનાવવા માટે, 2 લિટર પાણી ઉકાળો. ત્યાર બાદ એક કાચા પપૈયાને નાના-નાના ટુકડા કરી લો અને તેની અંદરથી બીજ કાઢી લો. આ ટુકડાઓને ઉકળતા પાણીમાં નાંખો અને લગભગ 5 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીમાં 2 ચમચી ગ્રીન ટી નાખીને ઉકાળો. દિવસમાં 3 થી 4 વખત આ ઉકાળો ખાવાથી ફાયદો થાય છે. આ તમારા શરીરમાં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરશે.
Published On - 11:34 am, Wed, 25 December 24