
નિશા ગ્રેવાલે જણાવ્યું કે, UPSC પરીક્ષાની તૈયારી માટે તેણે NCERT પુસ્તકોથી પોતાનો આધાર મજબૂત કર્યો અને ત્યારબાદ તેણે પુસ્તકોથી તૈયારી કરી. આ સિવાય તેણે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીનો પણ તૈયારી માટે ઉપયોગ કર્યો.

નિશા ગ્રેવાલના દાદા રામફલ ગ્રેવાલે UPSC પરીક્ષામાં ઘણો સાથ આપ્યો, જેઓ એક શિક્ષક છે. નિશાને તેના દાદાએ દરેક પગલે સાથ આપ્યો હતો. પરીક્ષા પાસ કર્યા બાદ તેણે તેનો શ્રેય તેના દાદાને જ આપ્યો.

UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નિશા કહે છે કે, જો તમારે UPSCની તૈયારી કરવી હોય તો તમારે વધુ સારી વ્યૂહરચના સાથે આગળ વધવું પડશે. તેણી કહે છે કે, જ્યાં સુધી તમે દરરોજ તેના માટે પ્રયત્ન કરશો નહીં, ત્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં. તેમના મતે, સફળતા માટે સખત મહેનત, યોગ્ય વ્યૂહરચના, મહત્તમ પુનરાવર્તન, જવાબ લખવાની પ્રેક્ટિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.