
અખંડ ધુનમાં ભાગ લેનાર મહિલા મંડળો અને દર્શનાર્થીઓ માટે સતત 24 કલાક સેવા આપવા માટે 21 થી વધારે વિવિધ કમિટીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ અખંડ ધૂન મહોત્સવ ઐતિહાસિક બન્યો હતો.

ભવ્યાતિભવ્ય મહોત્સવની ફળશ્રુતિ રૂપે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર કરવા માટે દરેક કડવા પાટીદારો પ્રેરીત બન્યા છે. નિયમિત રીતે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર જાપ કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધી, પીડા, દુઃખ, સંકટ, હતાશા અને નિરાશા દુર થાય છે. જીવન તેજસ્વિ અને ઓજસ્વિ બને છે.