
આ સંબંધ તૂટવાથી ટીના ખૂબ જ દુઃખી હતી અને તે પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરીને અમેરિકા જતી રહી હતી. પછી થોડા સમય પછી સમાચાર આવ્યા કે ભૂકંપ આવ્યો છે અને આ સાંભળીને અનિલે તરત જ ટીનાને ફોન કર્યો. તેણે પૂછ્યું કે તમે ઠીક છો? ટીનાએ કહ્યું, હા અને આ સાંભળીને અનિલે ફોન કટ કરી દીધો અને તે પછી ટીના વધુ ભાંગી પડી.

અનિલને ત્યાં ઘણા સંબંધો હતા પણ ટીના મનમાં વસી ગઈ હતી. અનિલે તેના પરિવારજનોને સમજાવ્યા અને પછી તેનો પરિવાર રાજી થયો. આ પછી અનિલે ટીનાને ફોન કરીને ભારત પરત બોલાવી અને તેના પરિવારજનો સાથે પરિચય કરાવ્યો. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ બંનેએ ફરીથી લગ્ન કર્યા.