
કફ અને શરદી જેવા સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં હળદરનું સેવન કરી શકાય છે. હળદરના બળતરા વિરોધી, એન્ટિસેપ્ટિક અને એન્ટિવાયરલ ગુણો કફને દૂર કરવામાં મદદરૂપ છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે, તમે તમારી ચામાં કાળા મરી અને હળદર ઉમેરી શકો છો. આ મસાલા ચા ગળાને શાંત કરે છે અને ઉધરસમાં રાહત આપે છે.

હુંફાળું પાણી, મીઠું પાણી, ગરમ ચા, સૂપ અને શાકભાજીથી પણ ઉધરસમાં રાહત મળે છે. આ ગરમ પીણાની અસર ઉધરસ તેમજ શરદી, ગળામાં દુખાવો અને ઠંડી લાગવા જેવી સમસ્યાઓમાં જોવા મળે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો
Published On - 8:00 am, Wed, 6 December 23