
જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે, તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.