
કુંજલ ભટ્ટ કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર ડિગ્રી કર્યા બાદ હૈદરાબાદની એક ઈન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઈટીની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા. પરંતુ આંખની તકલીફને કારણે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તેને પરિણામે નોકરી છોડવી પડી હતી. ખાણીપીણીનો શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવા માટે આ બંને વાનગીઓ તૈયાર કરી છે. આ અંગે કુંજલ ભટ્ટે જણાવ્યું હતું કે અમે ઘણી બધી નોવેલ્ટી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે આઈસક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ પાણીપુરી, ઈલેક્ટ્રીક શોક આઈસ્ક્રીમ પાણીપુરી છે.

ગરમીની સિઝનમાં બમણી સંખ્યામાં લોકો મન મૂકીને ખાઈ રહ્યા છે. હું આઈ ટી ફિલ્ડમાં હતો, પરંતુ મેડિકલ કન્ડિશનને કારણે મારી ફિલ્ડ છોડવી પડી હતી. મને પહેલેથી જ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે. જેથી હું આવી નવી નવી આઈટમ બનાવું છું. આઈસ્ક્રીમ ભજીયાની ખાસિયત એ કે છે કે તે તેલમાં તળાતું હોવા છતાં પીગળી જતું નથી.