
શાક, પુરી, જલેબી, ભજીયા, શિરો, દાળભાત એમ વાર-તહેવાર પ્રમાણે જમવાનું રાખવામાં આવે છે. ઉત્તરાયણમાં ઊંધિયું- જલેબી, દશેરા પર ફાફડા-જલેબી, ચંદીપડવા પર ઘારી, ઉનાળાની ગરમીમાં સરસીયા ખાજા સાથે રસ અને છાશ પણ હોય છે સાથે દાળ ભાત તો હોય જ છે.

મા ખોડીયાર ફાઉન્ડેશન સંસ્થા તરફથી ખાલી દાળ-ભાત હોય છે અને કોઈ વ્યક્તિની બર્થ ડે લગ્નની એનિવર્સરી કે કોઈપણ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય તો જમવાનું એમના તરફથી આપવામાં આવે છે.

લોકો પણ અહીંયા 12:00 કલાકે જમવા માટે લાઈનમાં ડીશ લઈને ઊભા થઈ જાય છે, તેમજ આજુબાજુના શોપિંગ સેન્ટરમાં નોકરી કરવાવાળા કોઈપણ વ્યક્તિ અહીંયા પેટ ભરીને જમી શકે છે.