
પાચન તંત્ર: વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી. જેના કારણે પાચનતંત્ર બગડી શકે છે.

સ્થૂળતા ન ઘટાડવી: જે લોકો સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને સખત બનાવે છે અને તેના કારણે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે. (નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)