
સૌથી ખરાબ ત્યારે લાગે છે જ્યારે લોકો ગભરાઈને મારી માતાને કોલ કરે છે. જે સાથે વિનિતાએ કેટલીક પોસ્ટમાં તેમના મોતની ખબરો ફેલાઈ તે શેર કર્યું છે.

વિનીતા સિંહે પોતાની પોસ્ટ સાથે શેર કરેલા ફોટામાં તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેના ફોટાની સાથે એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારત માટે આ દુઃખદ દિવસ છે. અમે વિનીતા સિંહને અલવિદા કહીએ છીએ. બીજી પોસ્ટમાં લખ્યું છે કે, 'આ સમગ્ર ભારત માટે દુઃખદ દિવસ છે. ગુડબાય, વિનીતા સિંહ. વિનીતા સિંહે કહ્યું કે પેઇડ પીઆર દ્વારા પૈસા આપીને આ સમાચારોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વિનીતા સિંહની આ પોસ્ટ પર મુંબઈ પોલીસે પણ કોમેન્ટ કરી હતી. આ પછી પોલીસે તેની સાથે વાત કરી. વિનિતા સિંહે કહ્યું કે ફેસબુક પર આવા ફેક ન્યૂઝની આખી સિરીઝ ફરતી થઈ રહી છે.