
સાડાસાતી વિશે કહેવાય છે કે તે દરેક વ્યક્તિના જીવનમાં બે વાર આવે છે. આમાં વ્યક્તિને કરિયરથી લઈને લવ લાઈફ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતીના પ્રભાવથી પોતાને બચાવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો. આ સાથે તમે તેલ, મીઠું, લોખંડ, અનાજ અને વાસણો વગેરેનું દાન કરીને પણ લાભ મેળવી શકો છો.

શનિ ઢૈયા- જ્યારે શનિદેવ ચંદ્ર રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે વ્યક્તિ પર ઢૈયા શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ઢૈયાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. આના કારણે વ્યક્તિને આર્થિકથી લઈને શારીરિક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે વ્યક્તિએ સારા કાર્યો કરવા જોઈએ. શનિવારે વ્રત રાખો અને ભગવાન હનુમાનની પૂજા પણ કરો. આનાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહેશો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 9:02 am, Tue, 19 November 24