
થિરુનાલ્લારુ મંદિર (તામિલનાડુ)-શનિદેવનું આ મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લામાં છે. માન્યતા અનુસાર બે નદીઓની વચ્ચે આવેલા આ મંદિરમાં શનિદેવની સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો શનિ દોષથી મુક્તિ મળે છે. જ્યારે શનિ બદલાય છે ત્યારે આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

શનિ ધામ મંદિર (દિલ્હી)-રાજધાની દિલ્હીના છતરપુર વિસ્તારમાં આ પ્રખ્યાત શનિ મંદિર છે. શનિદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અહીં છે. અહીં દૂર-દૂરથી લોકો શનિદેવની પૂજા કરવા આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરના દર્શન કરવાથી શનિદોષ દૂર થાય છે.પુરુષ ભક્તો મંદિર પરિસરમાં સ્નાન કરીને શનિદેવને સરસવનું તેલ ચઢાવે છે.

શનિ મંદિર (કર્ણાટક)-આ શનિ ધામ કર્ણાટકના તુમકુર જિલ્લામાં છે. આ મંદિરની ખાસ વાત એ છે કે શનિદેવ કાગડા પર બિરાજમાન છે. માન્યતા અનુસાર, જેમની કુંડળીમાં શનિદોષ હોય છે, જો તેઓ વિધિ-વિધાન અનુસાર પૂજા કરે છે, તો તેમને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આ શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં લોકો શનિદેવના દર્શન કરવા મંદિરે પહોંચે છે.
Published On - 11:46 am, Wed, 17 May 23