
જો તમે શનિની સાડેસાતી, ઢૈય્યા અને મહાદશાથી રાહત મેળવવા માંગતા હો, તો શનિ અમાવસ્યાના દિવસે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી, સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી, ઉપવાસ કે વ્રત કરો અને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. આ દિવસે, કાળા તલને સરસવના તેલમાં ભેળવીને શનિદેવનો ભક્તિભાવથી અભિષેક કરો. તેમને ફૂલો અર્પણ કરો અને શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરો.

શનિ અમાસને પિતૃ તર્પણ અને પિતૃ દોષ નિવારણ માટે પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે, પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ સિવાય શનિ અમાસના દિવસે શની ચાલીસા અને શનિદેવના મંત્રોનો જાપ કરવો. સાથે જ શનિદેવને પ્રાર્થના કરવી કે જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે અથવા તેની અસર ઓછી થાય. શાસ્ત્રો અનુસાર શનિ અમાસના દિવસે જરૂરિયાતમંદોને મદદ કરવાથી પણ લાભ થાય છે. આ દિવસે કાળા કપડાનું દાન, કાળા જૂતાનું દાન કરવું શુભ ગણાય છે. તેમજ શનિ અમાસના દિવસે કાળા કૂતરાને રોટલી પર સરસવનું તેલ લગાડીને ખવડાવવું પણ શુભ ગણાય છે.