
રવિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે પ્રસિધ્ધ લોકકલાકાર અનિરુદ્ધ આહીર ઉપસ્થિત રહેશે. જે પોતાના કંઠ વડે સુંદર ભજન અને લોક સંગીત વડે મંત્રમુગ્ધ કરશે.

મહોત્સવના બીજા દિવસે રવિવારે પણ મોટી સંખ્યામાં શામળાજી મંદિર પરિસરમાં શ્રોતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.

દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ શામળાજી મંદિરમાં બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે. શામળાજીનો વિકાસ કરીને મંદિર પરિસરને સુંદર નિર્માણ કરવામાં આવ્યો છે.