
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ નીતિગત વ્યાજ દરોમાં (રેપો રેટ કટ) ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. લગભગ પાંચ વર્ષ બાદ તેમના નેતૃત્વમાં RBIના MPCમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે પોલિસી વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે પોલિસી વ્યાજ દર 6.5 થી ઘટાડીને 6.25 થશે.

અગાઉ, આરબીઆઈએ છેલ્લે મે 2020માં કોરોના મહામારી દરમિયાન રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. તે સમયે તે ચાર ટકા પર આવી ગયો હતો. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો કર્યો હતો અને આરબીઆઈએ જોખમોનો સામનો કરવા વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. તે ફેબ્રુઆરી 2023 માં બંધ થઈ ગયું. ત્યાર બાદ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
Published On - 11:46 am, Fri, 7 February 25