Rajkot: બાલભવનમાં 51મા દુર્ગા મહોત્સવની ઉજવણી, બંગાળી એસોસિએશન આયોજન- જુઓ Photos

Rajkot: રાજકોટમાં બંગાળી એસોસિએશન અને પરિવારો દ્વારા દર વર્ષે દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બાલભવનમાં અનભેરામ ઓપન એર થિયેટરમાં 51મા દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ માટે 15 દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ વર્ષે મા દુર્ગાને હાથીની અંબાડી પર બિરાજમાન કરીને પિયર લવાઈ રહ્યા છે. દેવીપૂજાના સાત પ્રકારના કલ્પ હોય છે તે પૈકી પહેલા કલ્પની શુક્રવારે પૂજા કરવામાં આવી હતી.

| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:58 PM
4 / 5
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર આનંદજી મહારાજના હસ્તે 7:30 કલાકે આ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. મા દુર્ગાની સ્તુતિ અને ધાર્મિક પ્રવચનનું આયોજન થયું  સાથે મા દુર્ગાના આગમનની વધામણી કરવામાં આવી હતી.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર આનંદજી મહારાજના હસ્તે 7:30 કલાકે આ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. મા દુર્ગાની સ્તુતિ અને ધાર્મિક પ્રવચનનું આયોજન થયું સાથે મા દુર્ગાના આગમનની વધામણી કરવામાં આવી હતી.

5 / 5
 મા દુર્ગાની વિશાળ પ્રતિમા તૈયાર કરવા માટે કલકત્તાથી ખાસ કારીગરો રાજકોટ આવ્યા હોય છે. આ ઉત્સવ દરમિયાન બંગાળી પરિવાર દ્વારા 21 થી 23 ઓક્ટોબર દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરના ત્રણ કલાકે કરવામાં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માટે બંગાલી એસોસિયન રાજકોટના હોદ્દેદાર પ્રમુખ ડૉક્ટર સુસ્મિતા ગાંગુલી સેક્રેટરી સોમનાથ પાલ વગેરે જહેમત લીધી છે.

મા દુર્ગાની વિશાળ પ્રતિમા તૈયાર કરવા માટે કલકત્તાથી ખાસ કારીગરો રાજકોટ આવ્યા હોય છે. આ ઉત્સવ દરમિયાન બંગાળી પરિવાર દ્વારા 21 થી 23 ઓક્ટોબર દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરના ત્રણ કલાકે કરવામાં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માટે બંગાલી એસોસિયન રાજકોટના હોદ્દેદાર પ્રમુખ ડૉક્ટર સુસ્મિતા ગાંગુલી સેક્રેટરી સોમનાથ પાલ વગેરે જહેમત લીધી છે.