
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર આનંદજી મહારાજના હસ્તે 7:30 કલાકે આ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. મા દુર્ગાની સ્તુતિ અને ધાર્મિક પ્રવચનનું આયોજન થયું સાથે મા દુર્ગાના આગમનની વધામણી કરવામાં આવી હતી.

મા દુર્ગાની વિશાળ પ્રતિમા તૈયાર કરવા માટે કલકત્તાથી ખાસ કારીગરો રાજકોટ આવ્યા હોય છે. આ ઉત્સવ દરમિયાન બંગાળી પરિવાર દ્વારા 21 થી 23 ઓક્ટોબર દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરના ત્રણ કલાકે કરવામાં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માટે બંગાલી એસોસિયન રાજકોટના હોદ્દેદાર પ્રમુખ ડૉક્ટર સુસ્મિતા ગાંગુલી સેક્રેટરી સોમનાથ પાલ વગેરે જહેમત લીધી છે.