
હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે. દિયા કુમારીએ રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2013 માં કરી હતી. તેમણે તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને વસુંધરા રાજેની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

રાજકુમારી દિયા કુમારી જયપુરના આલિશાન મહેલ સીટી પેલેસમાં રહે છે. આ મહેલ સંકુલમાં અનેક ઈમારત, ગેલેરી, રેસ્ટોરન્ટ્સ અને મ્યુઝિયમ આવેલા છે.
Published On - 1:29 pm, Sun, 3 December 23