
બલૂચિસ્તાનમાં વધેલા આતંકી હુમલાઓએ પાકિસ્તાનની મુશ્કેલી વધુ વધારી છે. 11 માર્ચ પછી ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલા થયા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બલૂચ વિદ્રોહીઓ સતત પાક સેના પર હુમલા કરી રહ્યા છે, જેનાથી આંતરિક અસ્થિરતા વધી છે.

જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને આંતરિક યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો સામનો કરવો પડી શકે છે. શહબાજ સરકાર અને પાક સેના સામે હવે સૈનિકોના મનોબળ વધારવાની અને સુરક્ષા સુધારવાની મોટી પડકારભરી જવાબદારી ઉભી થઈ છે.