
સોમનાથ મંદિર પરિસરમાં કપર્દી વિનાયક ગણેશજીના ચરણોમાં અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનનો આઠમું ચરણ યોજાયું

મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય સહિત અન્ય પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરાયા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું

1000 ગણપતિ અથર્વશીર્ષના પઠનથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે ભાદરવા માસની કૃષ્ણ ચતુર્થી પર સોમનાથ તીર્થ ગણેશ ભક્તિમાં લીન થયું

ગણેશજીના નિરંતર સાનિધ્ય માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે આ યજ્ઞ કરવામાં આવશે