નથી અટકી રહ્યા પથ્થરબાજ ! હવે ઓડિશામાં વંદે ભારત પર પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોનો આબાદ બચાવ, જુઓ તસવીરો

ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ પર હુમલાની ઘટના સામેઆવી છે. આ વખતે ઓડિશાના ભુવનેશ્વરમાં વંદે ભારતને નિશાન બનાવવામાં આવ્યું હતું. પથ્થરમારાના કારણે કોચની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. ઘટના અંગે અધિકારીઓએ જણાવ્ હતુ કે, ઓડિશામાં ઢેંકનાલ-અંગુલ રેલવે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ (20835) ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું.

| Edited By: | Updated on: Nov 27, 2023 | 9:10 AM
4 / 5
ઘટના બનતા જ તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે ECoRની બંને સુરક્ષા વિગ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જો કે હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી.

ઘટના બનતા જ તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે ECoRની બંને સુરક્ષા વિગ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જો કે હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી.

5 / 5
 ભારતીય રેલ્વે, ખાસ કરીને ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECoR) જાહેર જનતાને, ખાસ કરીને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને ટ્રેનો પર પથ્થરમારો ન કરવા માટે શિક્ષિત કરવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. જેના કારણે મુસાફરોને નુકસાન ન થઈ શકે છે. જો કે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. ભારતીય રેલ્વે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તેમને રોકવાના પ્રયાસો છતાં આ ઘટનાઓ ચાલુ રહે છે.

ભારતીય રેલ્વે, ખાસ કરીને ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECoR) જાહેર જનતાને, ખાસ કરીને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને ટ્રેનો પર પથ્થરમારો ન કરવા માટે શિક્ષિત કરવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. જેના કારણે મુસાફરોને નુકસાન ન થઈ શકે છે. જો કે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. ભારતીય રેલ્વે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તેમને રોકવાના પ્રયાસો છતાં આ ઘટનાઓ ચાલુ રહે છે.