TV9 GUJARATI | Edited By: Dhinal Chavda
Sep 27, 2022 | 12:22 PM
નવરાત્રી દરમિયાન લોકો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. જો કે, દેશભરમાં દેવી માતાના ઘણા પવિત્ર સ્થાનો છે. પરંતુ આજે અમે તમને મા દુર્ગાના 5 પ્રખ્યાત મંદિરો વિશે જણાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં માતાના દર્શન કરવાથી જ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
નૈના દેવી મંદિર: નૈનીતાલનું નૈના દેવી મંદિર મા દુર્ગાની 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે માતા સતીને અગ્નિમાં ભસ્મ કર્યા બાદ વિષ્ણુએ તેમના શરીરના 51 ટુકડા કરી નાખ્યા હતા. તે સમયે જ્યાં માતાની આંખો પડી હતી તે જગ્યાએ નૈના દેવી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
કામાખ્યા દેવી મંદિરઃ કામાખ્યા શક્તિપીઠને 51 શક્તિપીઠોમાં નંબર વન માનવામાં આવે છે. તે આસામની રાજધાની ગુવાહાટીથી 8 કિમીના અંતરે આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી માતાના આ મંદિરમાં કરવામાં આવેલ માનતા જલ્દી પૂર્ણ થાય છે.
દક્ષિણેશ્વર કાલી મંદિર: દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કાલી દેવીના આ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દરેક મનોકામના પૂર્ણ થાય છે.
કરણી માતાનું મંદિરઃ કરણી માતાનું મંદિર રાજસ્થાનમાં બિકાનેરથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. દર વર્ષે અહીં ભક્તોની ભીડ જામે છે. આ મંદિરની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે આ પવિત્ર સ્થાનમાં ઘણા ઉંદરો છે. અહીં લોકો દેવી માતાના દર્શન કર્યા બાદ ઉંદરોને ખોરાક પણ ખવડાવે છે.