
ઘણા લોકો અને તેમાં પણ ખાસ કરીને યુવાએ ડ્રાઇવિંગ કરતી વખતે સ્પીડ ભૂલી જાય છે અને કાર ચલાવતા રહે છે. તેની સીધી અસર કારના માઈલેજ પર પડે છે. કારના ટાયરનું પ્રેશર જાળવી રાખવું પણ જરૂરી છે. જો ટાયરમાં એકસરખી હવા નહીં હોય તો તેની અસર એન્જિન પર થાય છે, કારણ કે તે એન્જિન પર વધારે દબાણ લાવે છે.

જો તમે કાર ચલાવતી વખતે આ ભૂલો નહીં કરો તો તમને તમારી કાર પહેલા કરતા વધારે સારી માઈલેજ આપશે. જેનાથી તમે મોટા નુકસાનથી પણ બચી શકો છો.