ડોક્ટરોની હડતાળને કારણે સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. ઉલ્લેખનીય છે કે, એક મુદ્દાઓને લઇને ત્રીજી વખત તબીબો હડતાળ કરશે. આ અંગે હડતાળને લઈને ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, અમારો ભરોસો સરકાર પરથી તૂટી ગયો છે, હવે અમે હડતાળ કરીશું, વારંવાર રજૂઆત છતાં સરકારે અમારી વાત ન સાંભળી, નાણાં વિભાગના અધિકારીને કારણે ડોક્ટરો અને સરકાર સામસામે આવશે.