
એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.