મહેસાણા: વિસનગરમાં 109 કરોડના 85 જેટલા વિકાસકામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મહેસાણા: વિસનગરમાં એપીએમસી ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હૂત કરાયું હતું.

| Edited By: | Updated on: Nov 23, 2023 | 10:51 PM
4 / 6
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યના દરેક જિલ્લામાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યુ છે. એકપણ વ્યક્તિ વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યના દરેક જિલ્લામાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યુ છે. એકપણ વ્યક્તિ વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

5 / 6
 કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્ર ચેતનાની ભાવના જાગે તેવો ભાવ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્ર ચેતનાની ભાવના જાગે તેવો ભાવ વ્યક્ત કર્યો.

6 / 6
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આજનો આ કાર્યક્રમ સેવા, દાન અને વિકાસનો મહાસંગમ છે. આ કાર્યક્રમમાં વિકાસકામોની સાથોસાથ બાળકો, દિવ્યાંગજનો, કિશોરીઓ સહિત જરૂરતમંદોને 30થી40 કરોડની સહાયનું દાન મળ્યુ છે.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આજનો આ કાર્યક્રમ સેવા, દાન અને વિકાસનો મહાસંગમ છે. આ કાર્યક્રમમાં વિકાસકામોની સાથોસાથ બાળકો, દિવ્યાંગજનો, કિશોરીઓ સહિત જરૂરતમંદોને 30થી40 કરોડની સહાયનું દાન મળ્યુ છે.

Published On - 10:44 pm, Thu, 23 November 23