
તેની હાલત જોઈ પરિવાર ડરી ગયો અને તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં જ્યારે ડોક્ટરોએ તેની હાલત જોઈ અને સમગ્ર ઘટના સાંભળી તો તેઓના પણ હોશ ઉડી ગયા. ત્યારબાદ ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેને આગરા એસએન મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટમાં દુખાવાના કારણે પોતે ઓપરેશન કરાવનાર રાજાબાબુએ ઈન્ટરનેટથી ઓપરેશન અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની માહિતી એકત્ર કરી હતી. તેણે મથુરાના માર્કેટમાંથી સર્જિકલ બ્લેડ, સ્ટીચિંગ મટિરિયલ, નમ્બિંગ ઈન્જેક્શન વગેરે ખરીદ્યા હતા અને જાતે ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજાબાબુના ભત્રીજા રાહુલે જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા રાજાબાબુનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું હતું. તે પછી પણ તે પેટમાં દુખાવાની ફરિયાદ કરતો રહ્યો. અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું. આ પછી દર્દથી પરેશાન રાજા બાબુએ જાતે ઓપરેશન કરીને ઉકેલ મેળવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તકલીફ વધી તો તેણે તેના પરિવારને જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ ગયા. વૃંદાવન જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ઈન્ચાર્જ ડૉ. શશિ રંજને જણાવ્યું કે, રાજાબાબુ નામના યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. યુવકે તેના પેટની જમણી બાજુએ સાત બાય એક સેન્ટિમીટરનો ચીરો કર્યો હતો. તેણે 10-12 ખોટા ટાંકા લીધા હતા. તેને ટાંકા લઈ આગ્રા રેફર કરવામાં આવ્યા છે.