
કેન્દ્રીય ટેલિકોમ રાજ્યકક્ષા પ્રધાન દેવુસિંહ ચૌહાણે લક્ષદ્વીપમાં ઝડપી નેટ અને ટેલિકોમ્યુનિકશન માટેના પ્રોજેક્ટને હાથ ધરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પ્રશાસક પ્રફુલ પટેલ અને ટેલિકોમ રાજ્યકક્ષા પ્રધાન દેવસિંહ ચૌહાણે લક્ષદ્વીપના આ મહત્વના પ્રોજેક્ટમાં મહત્વનો પ્રયાસ કર્યો છે. આમ ત્રણ ગુજરાતીઓએ સુંદર ટાપુને માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

હવે લક્ષદ્વીપમાં 100 ગણી ઝડપે ઈન્ટરનેટની સ્પીડ મળશે. એટલે કે 1.7 Gbps થી 200 Gbps સુધીની ઝડપ મળનારી છે. આઝાદી બાદ લક્ષદ્વીપ પ્રથમ વાર સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડાયું છે. જે મોટો પડકાર ટૂંકા સમયમાં પૂર્ણ થતા પીએમ મોદી લોકાર્પણ કરનાર છે.

લક્ષદ્વીપ ટાપુઓ પર પ્રવાસીઓની અગવડતાઓ દૂર થવા સાથે અનેક સુવિધાઓ સાનુકૂળ થશે. જેમ કે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલી મેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેનો વધારો થશે.

પીએમ નરેન્દ્ર મોદી કદમત ખાતે નિર્માણ કરવામાં આવેલ લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) પ્લાન્ટનું લોકાર્પણ કરશે. જેનાથી ટાપુ પર હવે વધુ સ્વચ્છ પીવાનું પાણી મળી રહેશે. કોરલ ટાપુ હોવાને લઈ પીવાના પાણીને મેળવવાને લઈ અહીં ભૂગર્ભ જળ મોટો પડકાર હતો. આ ઉપરાંત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. ટાપુના વિકાસ માટે કાયાપલટ પ્રયાસ પ્રશાસક પ્રફુલ પટેલે ટૂંકા સમયમાં કર્યો છે અને જેને લઈ દ્વીપ સમૂહ હવે આવનારા દિવસોમાં માલદીવને પર્યટન ક્ષેત્રે ટક્કર આપશે.
Published On - 6:10 pm, Mon, 1 January 24