
અહેવાલો એવો પણ દાવો કરે છે કે કેટરિના કૈફ ખૂબ જ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરે છે, તેથી તે તે પહેલાં રિસેપ્શનનું આયોજન કરવા માંગે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પાર્ટીમાં આવનાર તમામ મહેમાનોએ તેમનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પછી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તે જ કેટરિના અને વિકીના રિસેપ્શનમાં આવી શકશે.