Kargil Vijay Diwas : કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ અહીં
26મી જુલાઈએ 25મો કારગિલ વિજય દિવસ છે. પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
1 / 7
ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા.
2 / 7
પીએમ મોદીએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. પીએમ મોદીએ લખ્યું છે કે 26 જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે 25મો કારગિલ વિજય દિવસ ઉજવીશું.
3 / 7
પીએમ મોદીએ કહ્યું કે આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા પહોચ્યાં છે અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપી છે.
4 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 9 વાગ્યે કારગિલ થઈને દ્રાસ પહોંચ્યા અને યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પછી પીએમ મોદી વીર નારી (યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ) સાથે વાત કરી અને વીર ભૂમિની મુલાકાત લીધી. આ પછી પીએમ મોદી શિંકુ લા ટનલનું ડિજિટલી ઉદ્ઘાટન કરશે.
5 / 7
કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા PM મોદી , શહીદોને આપી શ્રદ્ધાંજલિ
6 / 7
પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. અમે રિગિલ યુદ્ધમાં સત્ય, સંયમ અને હિંમત બતાવી. પરંતુ પાકિસ્તાને તેનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું, તેના બદલામાં પાકિસ્તાને તેનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. પાકિસ્તાનની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય.
7 / 7
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્ર માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા લોકોના નામ અમિત છે. દેશ બહાદુર વીરોનો ઋણી છે. દેશને વિજય અપાવનાર આવા તમામ શહીદોને હું આદરપૂર્વક વંદન કરું છું. કારગિલ યુદ્ધમાં સર્વસ્વ બલિદાન આપનારા શહીદોને હું સલામ કરું છું.