Junagadh: આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.
1 / 7
ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વર્ષે મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળી છે જેની જાહેરાત જૂનાગઢ કલેક્ટરે કરી છે.
2 / 7
ગુજરાતની ઓળખ સમાન રાજ્યમાં યોજાતા ચાર લોકમેળા જેમાં જૂનાગઢમાં ભવનાથનો મેળો, પોરબંદરમાં માધવપુરનો મેળો, સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો અને સાબરકાંઠામાં આવેલ શામળાજીનો મેળો જેમાં જૂનાગઢના ભવનાથની તળેટી માં યોજાતો ભવનાથનો મેળો એ હિંદુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો મેળો છે.
3 / 7
આ મેળો કુંભ મેળા પછી ભરાતો સૌથી મોટો મેળો છે જ્યાં હજારો નાગા સાધુ ભવનાથની તળેટીમાં ત્રણ દિવસ આવી રોકાણ કરતા હોય છે આ મેળામાં ભારતભરમાંથી સાધુઓ એકત્રિત થતા હોય છે.
4 / 7
આ વર્ષે આ મેળો રંગેચંગે ઉજવાય તે માટે સરકારે ખાસ એસઓપી જાહેર કરી છે સરકાર તરફથી આ સમાચાર મળતા જુનાગઢવાસી અને ગુજરાતભરના લોકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ મેળો સરકારી ગાઈડ લાઈન મુજબ રંગેચંગે ઉજવાય તે માટે સરકાર અને જુનાગઢ વહીવટીતંત્ર કામે લાગી ગયું છે.
5 / 7
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે.
6 / 7
મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. મેળાને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કલેક્ટરની મંજૂરી મળતાંની સાથે જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
7 / 7
મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે
Published On - 2:43 pm, Tue, 22 February 22